‘સમુદ્રાન્તિકે’ નવલકથા પર્યાવરણીય પરિપ્રેક્ષ્યમાં

Authors

  • Hemil H Bihola

DOI:

https://doi.org/10.47413/vidya.v2i2.250

Abstract

‘સમુદ્રાન્તિકે’ ધ્રુવ ભટ્ટ દ્વારા લખાયેલી નવલકથા છે. ધ્રુવ ભટ્ટની પ્રથમ નવલકથા ‘અગ્નિકન્યા’ હતી. ત્યાર પછી તેમણે ‘સમુદ્રાન્તિકે’, ‘તત્ત્વમસિ’, ‘કર્ણલોક’, ‘અકૂપાર’, ‘લવલી પાનહાઉસ’ અને ‘અતરાપી’ નવલકથાઓ આપી છે. ધ્રુવ ભટ્ટની ઘણી નવલકથાઓની વિશેષતા તેમના પ્રાકૃતિક પરિવેશમાં રહેલી છે. ‘સમુદ્રાન્તિકે’ નવલકથામાં ભાવનગર પાસેના સમુદ્ર કિનારાનો પરિવેશ છે, ‘તત્ત્વમસિ’માં નર્મદા અને તેના કાંઠા પરના જંગલોનો પરિવેશ છે તો ‘અકૂપાર’માં ગીરના જંગલોનો પરિવેશ છે. આમ પ્રકૃતિ – પર્યાવરણ એ લેખકની રુચિનો વિષય છે તે જણાઈ આવે છે.

Downloads

Published

28-09-2023

How to Cite

Bihola, H. (2023). ‘સમુદ્રાન્તિકે’ નવલકથા પર્યાવરણીય પરિપ્રેક્ષ્યમાં. VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 2(2), 251–252. https://doi.org/10.47413/vidya.v2i2.250

Issue

Section

Articles