ભારતીય જ્ઞાન પ્રણાલી ના ગૌરાન્વિત ઈતિહાસ ના પરિપ્રેક્ષ્ય માં તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠ અંગે પ્રાથમિક સમીક્ષાત્મક રજુઆત

Authors

  • ડૉ. ભાવેશ એ. પ્રભાકર

DOI:

https://doi.org/10.47413/vidya.v2i2.225

Keywords:

ભારતીય જ્ઞાન પરંપરા, સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર, તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠ

Abstract

વિદ્વાન હોવું અને રાજા હોવું એમ બંને સરખા નથી, રાજા પોતાના દેશમાં જ પૂજાય છે જ્યારે વિદ્વાન વ્યક્તિ સર્વત્ર પૂજાય છે. આ પ્રકારના વિચારો ભારતીય જ્ઞાન પરંપરા નું મહત્વ દર્શાવે છે. શિક્ષણની સફર ગુરુકુલ અને આશ્રમથી શરૂ થઈ ઉન્નતિ કરી વિશ્વવિદ્યાલયમાં પરિવર્તન પામ્યું. પ્રાચીન ભારતમાં શિક્ષણના પ્રમુખ કેન્દ્ર તરીકે તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠ ખૂબ જ પ્રખ્યાત હતા. આ વિદ્યાપીઠો એ ભારતીય શિક્ષણને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપ્યું હતું અને ભારતીય વિચારધારા અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર પણ કર્યું હતું. તક્ષશિલા વિદ્યાપીઠ માં રાજનીતિ, શસ્ત્ર વિજ્ઞાન, આયુર્વેદ, વિધિ જ્ઞાન, વ્યાકરણ વગેરે મુખ્ય વિષય શીખવવામાં આવતા હતા અહીં વિશેષજ્ઞતા માટે જ વિદ્યાર્થીઓ આવતા હતા જાયરે નાલંદા વિદ્યાપીઠ માં બૌદ્ધ ધર્મની મહાયાન શાખાનું શિક્ષણ, યોગ, ચિકિત્સા, વેદ, ગણિત વગેરે નું શિક્ષણ પણ આપવામાં આવતું હતું, ભારતની સુપ્રસિદ્ધ નાલંદા વિદ્યાપીઠને ૮૦૦ વર્ષ પછી તેનો પુનઃઆરંભ કરવામાં આવ્યો છે.

References

Downloads

Published

14-09-2023

How to Cite

પ્રભાકર ભ. (2023). ભારતીય જ્ઞાન પ્રણાલી ના ગૌરાન્વિત ઈતિહાસ ના પરિપ્રેક્ષ્ય માં તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠ અંગે પ્રાથમિક સમીક્ષાત્મક રજુઆત. VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 2(2), 155–159. https://doi.org/10.47413/vidya.v2i2.225

Issue

Section

Articles